અંકલેશ્વર : આમલાખાડીમાં ઠાલવવામાં આવેલ મૃત માછલીનું બિયારણ બહાર કાઢવામાં આવ્યું

અંકલેશ્વરમાં આમલાખાડીમાં કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા.જેના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની

New Update

આમલખડીમાં ઠાલવવામાં આવ્યું હતું માછલીનું બિયારણ

ઢગલો મૃત માછલા નજરે પડતા ઉઠી હતી ફરિયાદ

પ્રદુષિત પાણીમાં માછલા મરી ગયા હોવાની ઉઠી હતી ફરિયાદ

જીપીસીબી દ્વારા કરવામાં આવી હતી સ્થળ તપાસ

માછલીનું બિયારણ ઠાલવવામાં આવ્યું હતું

નોટીફાઈડ દ્વારા ખાડીમાંથી બિયારણ બહાર કઢાયું  

અંકલેશ્વરમાં આમલાખાડીમાં કોઈ તત્વો દ્વારા ઢગલાબંધ માછલીના બિયારણ ભરેલા કોથળા ત્યજી દેવામાં આવ્યા હતા.જેના કારણે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની તાકીદ બાદ નોટીફાઈડ વિભાગ દ્વારા ફાયર વિભાગની મદદ લઇ ખાડી માંથી 15 થી વધુ બેગ મૃત માછલી બહાર કાઢવામાં આવી હતી.

અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો દ્વારા મીણીયા કોથળાઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી.જેને લઇ દૂષિત પાણીમાં એક તબક્કે માછલાના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.જો કે જીપીસીબી દ્વારા સ્થળ તપાસમાં કોથળામાં રહેલા માછલાના બિયારણ મૃત હાલતમાં મળી આવ્યા હતા.અને આમલાખાડીની ઉપરના તર પર વહેતા થતા ઘટના સામે આવી હતી.ઘટના અંગે જીપીસીબી દ્વારા નોટીફાઈડ વિભાગને તાકીદ કરી ખાડી માં જ્યાં માછલા મૃત પામ્યા હતા,ત્યાંથી કોથળા સહિત મૃત માછલીઓ કાઢી લેવાની સૂચના આપી હતી.અને અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા જેસીબીની મદદ લઇ ફાયર વિભાગને સાથે રાખી મૃત માછલીઓના કોથળા બહાર કાઢ્યા હતા. અંદાજે 15થી વધુ કોથળા ભરેલ મૃત માછલા નીકળ્યા હતા.જેને સુરક્ષિત રીતે નોટીફાઈડ દ્વારા અન્યત્ર ખસેડી પર્યાવરણની જાળવણી સાથે નિકાલની કવાયત શરૂ કરી હતી.

Read the Next Article

મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Pune Bridge collapses

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની Indrayani River પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસફાયર બ્રિગેડએનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા. પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કેરવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો.