New Update
/connect-gujarat/media/media_files/2025/07/01/img-20250701-wa0019-2025-07-01-09-34-58.jpg)
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન દ્વારિકાધીશને નૂતન ધ્વજારોહણ અર્પણ કરવા ભક્તો રવાના થયા હતા.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે સિદ્ધ ગણેશ આશ્રમ આવેલો છે. આશ્રમ દ્વારા પ્રતિવર્ષ ભગવાન દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે. ત્યારે સતત ચોથા વર્ષે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. જે માટે 5 જેટલી બસો મારફતે ભક્તો અંકલેશ્વરના બાકરોલથી પાવનભૂમિ દ્વારિકા ખાતે જવા રવાના થયા હતા.આશ્રમના હરિપુરી સ્વામીજીના સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમમો યોજાય રહ્યા છે જેનો ભક્તો લાભ લઇ રહ્યા છે.
Latest Stories