/connect-gujarat/media/media_files/2025/04/03/gYd0VrQHMEuqTbD3kzib.jpg)
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ 4- 5 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા. જોકે, આ અંગે સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ ઘટના મંગળવારે સાંજે પૂંછમાં નિયંત્રણ રેખા (LoC) પર કૃષ્ણા ઘાટી સેક્ટરના આગળના વિસ્તારમાં બની હતી.LoC નજીક આવેલા વિસ્તારમાં 3 માઈન બ્લાસ્ટ થયા હતા અને પાકિસ્તાન તરફથી પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં 4 થી 5 ઘુસણખોરો માર્યા ગયા હતા.ગોળીબાર અને વિસ્ફોટ અંગે દિવ્ય ભાસ્કરે સેના સાથે વાત કરી. સેનાએ કહ્યું: 1 એપ્રિલના રોજ, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. આના કારણે કૃષ્ણા ઘાટી સેક્ટરમાં માઈન બ્લાસ્ટ થયો. પાકિસ્તાની સેનાએ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો અને યુદ્ધવિરામનો ભંગ કર્યો.સેનાએ કહ્યું - અમારા જવાનોએ ગોળીબારનો જવાબ આપ્યો. પરિસ્થિતિ કાબુમાં છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય સેનાએ LoC પર શાંતિ જાળવવા માટે વર્ષ 2021 ના DGSMO કરારને જાળવી રાખવાની અપીલ કરી છે.