/connect-gujarat/media/media_files/2025/06/04/BQEMQDyn9vuT5UkKUsRx.jpg)
ભરૂચ ભુસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના નર્મદા નદીપટ્ટમા આવેલી નિકુલભાઈ બાલુભાઇ પઢિયારની લીઝ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
આ આકસ્મિક તપાસ દરમ્યાન લીઝ વિસ્તારની બહાર સાદીરેતી ખનીજનું ખનન/સંગ્રહ કરતા હોવાનું જણાયું હતું. જેના આધારે આ ખનન/સંગ્રહ સાથે સંકળાયેલ કુલ ૦૩ યાંત્રિક નાવડી તથા 0૧ એક્સેવેટર ટાટા હિટાચી મશીન, અને ૪ ટ્રક મળી કુલ ૭૫ લાખનો મુદ્દામાલ જમા લઈ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.