રાહુલ ગાંધીને માનહાની કેસમાં મોટી રાહત, સ્પેશ્યલ કોર્ટે આપ્યા જામીન

મહારાષ્ટ્રના સાંગલીથી અપક્ષ ચૂંટણી જીતનાર વિશાલ પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને કોંગ્રેસ અને I.N.D.I.A. બ્લોકને સમર્થન જાહેર કર્યું.

Rahul
New Update

લોકસભા ચૂંટણીના પરિણામોનો આજે (7 જૂન) ત્રીજો દિવસ છે. I.N.D.I.A. બ્લોકમાં ધમાલ ચાલુ છે. મહારાષ્ટ્રના સાંગલીથી અપક્ષ ચૂંટણી જીતનાર વિશાલ પાટીલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા અને કોંગ્રેસ અને I.N.D.I.A. બ્લોકને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બેંગલુરુ કોર્ટમાં હાજર થયા છે. કર્ણાટક ભારતીય જનતા પાર્ટીએ તેમની સામે માનહાનિ કેસ દાખલ કર્યો છે. સ્પેશિયલ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે.

ભાજપના નેતા એસ કેશવ પ્રસાદે 8 મે, 2023 ના રોજ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડીકે શિવકુમાર, સિદ્ધારમૈયા અને રાહુલ ગાંધી જેવા કોંગ્રેસના નેતા ઓ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવી રહ્યા છે.

કોંગ્રેસે 5 મે, 2023ના રોજ અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરી હતી, જેમાં ભાજપ પર કોવિડ કીટ ટેન્ડર ડીલમાં 75 ટકા, પીડબલ્યુડી ટેન્ડર માટે 40 ટકા, ધાર્મિક સંસ્થાઓને અનુદાન માટે 30 ટકા અને આવા અન્ય સોદામાં કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો.

#જામીન #કોંગ્રેસના નેતા #માનહાનિકેસ #રાહુલગાંધી
Here are a few more articles:
Read the Next Article