Connect Gujarat
દેશ

જોધપુર-બાડમેર હાઈવે પર બસ-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

જોધપુર-બાડમેર હાઈવે પર બસ-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
X

જોધપુર-બાડમેર હાઈવે પર બસ-જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે. તેમને ગંભીર હાલતમાં એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઉંમર 60 થી 70 વર્ષની વચ્ચે છે.

આ તમામ લોકો તેમના પરિચિત ડોક્ટરના નિવૃત્તિ કાર્યક્રમમાં ભાગ લઈને પરત ફરી રહ્યા હતા. આ ઘટના જોધપુરના બોરાનાડા વિસ્તારમાં શનિવારે (જુલાઈ) સાંજે લગભગ 4:00 વાગ્યે બની હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસ સામાન્ય લોકોની મદદથી તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી.

અકસ્માતની માહિતી મળતાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું હતું કે, બોરાનાડા વિસ્તારમાં જોધપુર-બાડમેર રોડ પર બસ અને જીપ વચ્ચે અકસ્માતના સમાચાર ચિંતાજનક છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તમને આ મુશ્કેલ સમયમાં ધૈર્ય રાખવાની શક્તિ આપે.

Next Story