/connect-gujarat/media/media_files/2025/05/10/8YWqIWgbCIm7O7Kd48ac.jpg)
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ભીષણ તણાવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ (સીઝફાયર) ની પુષ્ટિ કરી છે.
ભારત સરકારે શનિવારે સાંજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ યુદ્ધ વિરામનો અમલ આજે સાંજે ૫:૦૦ વાગ્યાથી શરૂ થઈ ગયો છે. આ નિર્ણય સાથે, બંને દેશો વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવનો અંત આવવાની આશા સેવાઈ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર."