જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ, ત્રણ આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના

New Update
armt

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા.

 આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

આ ઓપરેશનમાં માર્યા ગયેલા લશ્કરના આતંકવાદીઓમાંથી એકનું નામ શાહિદ કુટ્ટે હતું, જે શોપિયાનો રહેવાસી હતો. તે 8 માર્ચ, 2023 ના રોજ લશ્કરમાં જોડાયો હતો. તે 18 મે, 2024 ના રોજ શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં સામેલ હતો. બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડાર તરીકે થઈ છે, જે શોપિયાના વાંડુના મેલહોરાનો રહેવાસી છે. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ લશ્કરમાં જોડાયો હતો. 18 ઓક્ટોબર, 2024 ના રોજ શોપિયામાં એક બિન-સ્થાનિક મજૂરની હત્યામાં સામેલ હતો.