Connect Gujarat
દેશ

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
X

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી મુક્ત થશે. વાત જાણે એમ છે કે, ગત વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં તેમને એક વર્ષની સજા સંભળાવી હતી. આજે મુક્ત થયા બાદ સિદ્ધુ પટિયાલા જેલની બહાર મીડિયા સાથે વાત કરશે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં છે. શુક્રવારે જ સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી હતી કે, તેમને આજે જ રિલીઝ કરવામાં આવશે.

સિદ્ધુને તેની સજાના બે મહિના પહેલા જ મુક્ત કરવામાં આવી રહ્યા છે. તેમના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે, પંજાબ જેલના નિયમો અનુસાર, જો કેદીનું વર્તન સારું હોય તો તેને સમય પહેલા જ મુક્ત કરી શકાય છે. જો કેદીનો વ્યવહાર સારો હોય તો દર મહિને તેની સજામાં 5 થી 7 દિવસનો ઘટાડો થાય છે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ આના આધારે સમય પહેલા જ છૂટી ગયા હતા.

Next Story