Connect Gujarat
દેશ

તમિલનાડુના કાંચીપુરમમાં ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 9 મજૂરોના મોત

તમિલનાડુના કાંચીપુરમમાં ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 9 મજૂરોના મોત
X

તમિલનાડુના કાંચીપુરમમાં બુધવારે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 9 લોકોના મોત નીપજ્યા છે અને 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, જ્યારે કર્મચારી ફટાકડા બનાવવા અને ભંડારણ સંબંધિત કામમાં લાગેલા હતા ત્યારે એક વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ આગ લાગી અને તેમાં બળવાથી 9 મજૂરોના મોત થયા છે. જ્યારે 12 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટને કારણે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી.

તેમણે જણાવ્યુ કે, કયા કારણોસર વિસ્ફોટ થયો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ હતુ કે, ઇજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. પોલીસ અધિકારીએ જણાવ્યુ છે કે, ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની ટીમ અને પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. અહીં રેસ્ક્યૂ ઓપરેશન કરતી વખતે અંદાજે 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. લોકોએ જણાવ્યુ હતુ કે, કેટલાક લોકો જીવતા બળી ગયા હતા. તેમને બચાવી શકાયા નહોતા. ફાયરવિભાગની કેટલીય ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Next Story