દિલ્હીમાં વધતા કોવિડ કેસ વચ્ચે પ્રથમ દર્દીનું મોત,મુખ્યમંત્રીએ લોકોને ગભરાવાને બદલે સાવધ રહેવાની કરી અપીલ

કોવિડ-19 ના વધતા કેસ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં આ પહેલું મૃત્યુ છે. સત્તાવાર આંકડા અનુસાર, દિલ્હીમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની સંખ્યા 294 છે.

New Update
Delhi Corona Case

દેશભરમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. દિલ્હીમાં કોવિડ-19 થી પીડિત 60 વર્ષીય મહિલાનું મોત થયું. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.

કોવિડ-19 ના વધતા કેસ વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં આ પહેલું મૃત્યુ છે. સત્તાવાર આંકડા અનુસાર, દિલ્હીમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની સંખ્યા 294 છે.

આ સંદર્ભમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'લેપ્રોટોમી પછી મહિલા આંતરડાની બીમારીથી પીડાતી હતી. અચાનક તે કોવિડ-19 થી પીડિત હોવાનું જાણવા મળ્યું.'મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે કહ્યું હતું કે દિલ્હીમાં 19 કોવિડ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી. તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકાર સતર્ક છે અને હોસ્પિટલો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

મુખ્યમંત્રીએ લોકોને ગભરાવાને બદલે સાવધ રહેવાની અપીલ કરી છે. તેમણે લોકોને ખાતરી આપી છે કે દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે તૈયાર છે, જેમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તાજેતરમાં દિલ્હીની LNJP હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કોરોનાનો સામનો કરવા માટે એક યોજના બનાવી હતી. આ સાથે આરોગ્ય તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.