આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની કરાઇ ધરપકડ, ભ્રષ્ટાચાર મામલે CIDએ કરી કાર્યવાહી...

નાયડૂની વિરુદ્ધ વર્ષ 2021માં કેસ નોંધવામાં આવ્યો હતો. નાયડૂની આ ધરપકડ વોરંડ ઇશ્યૂ થયા બાદ કરવામાં આવી

New Update
આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની કરાઇ ધરપકડ, ભ્રષ્ટાચાર મામલે CIDએ કરી કાર્યવાહી...

તેલુગુ દેશમ પાર્ટીના ચીફ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ કરવામાં આવી છે. આ વાતની જાણકારી ટીડીપીએ આપી હતી. ભ્રષ્ટાચાર મામલે CIDએ સવારે નાયડુ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. નાયડૂની વિરુદ્ધ વર્ષ 2021માં કેસ નોંધવામાં આવ્યો હતો. નાયડૂની આ ધરપકડ વોરંડ ઇશ્યૂ થયા બાદ કરવામાં આવી હતી. નાયડૂની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તે એક કાર્યક્રમના કેમ્પમાં આરામ કરી રહ્યા હતા. તેમની ધરપકડ કરવા માટે નાંદયાલ રેન્જના ડીઆઈજી રઘુરામ રેડ્ડી અને CIDના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પહોંચી હતી.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ચંદ્રબાબુ નાયડૂના દિકરા અને ટીડીપી નેતા નારા લોકેશની પણ પોલીસે અટકાયત કરી છે. ટીડીપીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકેશનો વીડિયો શેર કરીને કહ્યું હતું કે પોલીસે તેમને લોકેશ અને ચંદ્રબાબુને મળવાથી રોકી લીધા છે. ચંદ્રબાબુને મેડિકલ તપાસ માટે નંદ્યાલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, જો કે તેમણે ત્યા જવાની ના પાડી દેતા તેમની મેડિકલ તપાસ કેમ્પમાં જ કરવામાં આવી હતી. આજે ચંદ્રબાબુને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Read the Next Article

ઉત્તરાખંડમાં વરસાદ તબાહી મચાવી, બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ, 3-4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે.

New Update
UTTRAKHAND LANDSLIDE

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રુદ્રપ્રયાગમાં અકસ્માતનો ભોગ બનેલી બસનો કાટમાળ મળી શક્યો નથી. ડાઇવર્સ કહે છે કે ઉગ્ર નદીમાં ડૂબકી લગાવવી મુશ્કેલ છે. ડાઇવિંગ કર્યા પછી પણ કાદવવાળા પાણીમાં કંઈ દેખાતું નથી. આવી સ્થિતિમાં, ગુમ થયેલા આઠ લોકો અને બસને શોધવાનું મુશ્કેલ છે. દરમિયાન, ચમોલી પોલીસે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની માહિતી આપી છે. નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે ખોલવાનું કામ ચાલી રહ્યું છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. હવામાન કેન્દ્ર દેહરાદૂનના ડિરેક્ટર, વિક્રમ સિંહે માહિતી આપી કે ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌરી, ચંપાવત અને પિથોરાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ વરસાદ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહેશે. નૈનિતાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢમાં ભારે વરસાદ પડી શકે છે. પહાડી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે ભૂસ્ખલનનો પણ ભય છે. આવી સ્થિતિમાં, ચારધામ યાત્રાળુઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ વખતે ચોમાસું સામાન્ય સમય કરતા 21 જૂને ઉત્તરાખંડ પહોંચ્યું હતું. કુમાઉ થઈને રાજ્યમાં પ્રવેશ કરનાર ચોમાસું હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયું છે. હરિદ્વારના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે 10 થી 15 ટકા વધુ વરસાદ પડી શકે છે.

Latest Stories