આજથી હૈદરાબાદ રહેશે માત્ર તેલંગાણાની રાજધાની, આંધ્રપ્રદેશનું બનશે નવું કેપિટલ

હૈદરાબાદ હવે તેલંગાણા અને આંધ્રપ્રદેશની સત્તાવાર સંયુક્ત રાજધાની રહેશે નહીં,હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની રહેશે અને આંધ્ર પ્રદેશની નવી રાજધાની હશે.

New Update
Hyderabad

આજથી એટલે કે રવિવારથી હૈદરાબાદ હવે તેલંગાણા અને આંધ્રપ્રદેશની સત્તાવાર સંયુક્ત રાજધાની રહેશે નહીં. વાત જાણે એમ છે કે, આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 ની કલમ 5(1) મુજબ આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની 2 જૂન, 2024થી એક સામાન્ય રાજધાની હશે. આ જ અધિનિયમની કલમ 5(2) જણાવે છે કે, હૈદરાબાદ માત્ર તેલંગાણાની રાજધાની રહેશે અને આંધ્ર પ્રદેશની નવી રાજધાની હશે.

આંધ્રપ્રદેશ પાસે હજુ સુધી કાયમી રાજધાની નથી. અમરાવતી અને વિશાખાપટ્ટનમને લઈને કોર્ટમાં હજુ  પણ લડાઈ ચાલી રહી છે. આંધ્રના વર્તમાન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કહ્યું છે કે,જો તેઓ સત્તામાં રહેશે તો તેઓ વિશાખાપટ્ટનમને વહીવટી રાજધાની બનાવશે. તે જ સમયે, અમરાવતી વિધાનસભાની બેઠક હશે અને કુર્નૂલ ન્યાયિક રાજધાની હશે. આંધ્રપ્રદેશે 2014 માં વિભાજન પછી તરત જ હૈદરાબાદને તેની રાજધાની તરીકે ઉપયોગ કરવાનું બંધ કર્યું. એક રાજકીય નિરીક્ષકે કહ્યું કે, બે તેલુગુ રાજ્યો વચ્ચેનું તાજેતરનું વિભાજન પ્રતીકાત્મક હશે પરંતુ તે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

Latest Stories