મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત...

ગુજરાતના રાજ્યપાલશ આચાર્ય દેવવ્રતએ તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર

New Update
1

ગુજરાતના રાજ્યપાલશ આચાર્ય દેવવ્રતએ તારીખ 15 સપ્ટેમ્બર 2025સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા હતાત્યારે રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું. 

જોકેશપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરમહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યપાલને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહની શરુઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્યગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ તરીકે નિયુક્તી અંગે બહાર પડાયેલી અધિસૂચનાનું પઠન કરવામાં આવ્યું હતું. બાદમાં રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ ફરીથી રાષ્ટ્રગાન અને રાજ્યગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કેમહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હોવાના કારણે આ પદ ખાલી પડ્યું હતુંજે અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગર્વનર દર્શના દેવી સહિત પરિવારના સભ્યોમહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરવિધાન પરિષદના અધ્યક્ષ પ્રો. રામ શિંદેવિધાન પરિષદના ઉપાધ્યક્ષ ડૉ. નીલમ ગોરેકૌશલ વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢારમત-ગમત મંત્રી માણિકરાવ કોકાટેમુખ્યસચિવ રાજેશ કુમારપોલીસ મહાસંચાલક રશ્મિ શુક્લાઅધિક મુખ્ય સચિવ મનીષા મ્હૈસકરરાજ્યપાલના સચિવ ડૉ. પ્રશાંત નારનવરેઉપસચિવ એસ. રામમૂર્તિ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories