રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 89 કેસ નોંધાયા
BY Connect Gujarat Desk21 March 2023 4:05 PM GMT

X
Connect Gujarat Desk21 March 2023 4:05 PM GMT
રાજ્યમાં ઘણા દિવસો બાદ કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. ભરૂચમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 89 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાના ગ્રામ્યમાં વિસ્તારમાં એક કેસ નોંધાયો છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણને લઈ એક્ટિવ કેસની સંખ્યા 916 પર પહોંચી છે. મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના 19, સુરતમાં 18 કેસ નોંધાયા છે. અમરેલીમાં ત્રણ, ભાવનગરમાં બે અને વડોદરામાં કોરોનાના વધુ છ કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા નોંધાયો છે. તેમજ આજે 69 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 916 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 69 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 817 લોકોને રસી અપાઈ છે.
Next Story