/connect-gujarat/media/media_files/2025/12/19/css-2025-12-19-10-44-54.jpg)
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 સીરીઝ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે શુક્રવાર 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં આ સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. ચોથી મેચ લખનૌમાં ખરાબ વાતાવરણને કારણે કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આજની મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે. જો ભારત આજની મેચ જીતી જાય છે, તો તે સીરીઝ 3-1થી પોતાના નામે કરી લેશે અને સાથે જ આ ભારતની સતત 14મી T20 ઇન્ટરનેશનલ સીરીઝ જીત હશે. જ્યારે સાઉથ આફ્રિકાની નજર આ મેચ જીતીને સીરીઝને 2-2થી બરાબર કરવા પર રહેશે.
મેચને લઈને ભારતીય ટીમ ખેલાડીઓ ગઇકાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચને ધ્યાને લઈને અમદાવાદ મેટ્રો ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે, મેટ્રો ટ્રેનો રાતે 12.30 વાગ્યા સુધી ચાલશે. સામાન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનોનો સમય સવારે 6.20 વાગ્યાથી લઈને રાતે 10 વાગ્યા સુધીનો જ હોય છે પણ મેચને ધ્યાને લઈને આ સમય વધારી દેવામાં આવ્યો છે. પરંતુ રાતે 10 વાગ્યાથી 12.30 વાગ્યાની વચ્ચે માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકશે. જો કે ત્યાંથી મેટ્રો બંને કોરિડોર માટે કાર્યરત રહેશે. ઉપરાંત ગાંધીનગર જવા માટે પણ મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી જવા માટે બે વધારાની મેટ્રો ચલાવવામાં આવશે.