Connect Gujarat
દેશ

ભારતે નવી ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, નાગરિકોને ઈરાન અને ઇઝરાયલ ન જવા અપાઈ સૂચના

ભારતે નવી ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, નાગરિકોને ઈરાન અને ઇઝરાયલ ન જવા અપાઈ સૂચના
X

ઈરાન તરફથી ઈઝરાયલ પર હુમલાની ધમકીને જોતા ભારતે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને ઈરાન અને ઈઝરાયલ ન જવાની સલાહ આપવામાં આવી છે.બીજી તરફ અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)એ દાવો કર્યો છે કે ઈરાન આગામી બે દિવસમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે.

WSJએ શુક્રવારે અમેરિકન ઈન્ટેલિજન્સનો હવાલો આપીને આ માહિતી આપી હતી.અહેવાલમાં ઈરાનના એક અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હુમલાની યોજના ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈ સાથે શેર કરવામાં આવી હતી. તેઓ તેની સંભવિત અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જો કે, અધિકારીએ એમ પણ કહ્યું છે કે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.તે જ સમયે, ઇઝરાયલ તેના ઉત્તર અને પશ્ચિમ બંનેમાં ઇરાનના હુમલાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. બીજી તરફ, જોખમને જોતા ભારતે પોતાના નાગરિકોને ઈરાન-ઈઝરાયલ ન જવાની સલાહ આપી છે.

Next Story