હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ થયું ક્રેશ

હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. ફાઇટર જેટે અંબાલા એરબેઝથી

New Update
plan cresh

હરિયાણાના પંચકૂલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. એરફોર્ટના નિવેદન અનુસાર, ફાઇટર જેટે અંબાલા એરબેઝથી ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી. ફાઈટર જેટ પંચકુલાના પહાડી વિસ્તાર મોરનીના બાલદવાલા ગામ પાસે પડ્યું હતું. ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાઈટર જેટનો પાયલોટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Advertisment

ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં ખામીને કારણે ફાઇટર જેટ ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં ખામીને કારણે ફાઇટર જેટ ક્રેશ થયું હતું. પાયલોટે સુરક્ષિત રીતે બહાર નીકળતા પહેલા વિમાનને જમીન પરના કોઈપણ વસવાટથી દૂર લઈ લીધું હતું.

Advertisment
Latest Stories