પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને દાવાઓ પર ભારતીય સેના દ્વારા સવારે 10 વાગ્યે પ્રેસને કરશે સંબોધન

ભારત પાકિસ્તાન તરફથી સતત હુમલાઓનો જવાબ પોતાની શૈલીમાં આપી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના લગભગ દરેક મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.લાહોરમાં ડ્રોન હુમલો થયો

New Update
opretion

ભારત પાકિસ્તાન તરફથી સતત હુમલાઓનો જવાબ પોતાની શૈલીમાં આપી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના લગભગ દરેક મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. આ દરમિયાન લાહોરમાં ડ્રોન હુમલો થયો છે. તે જ સમયે, નિયંત્રણ રેખા પર બંને બાજુથી ભારે ગોળીબાર ચાલી રહ્યો છે.

Advertisment

પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને દાવાઓ પર ભારતીય સેના દ્વારા સવારે 10 વાગ્યે પ્રેસને સંબોધન કરશે. અગાઉ આ બ્રીફિંગ સવારે 5:45 વાગ્યે યોજાવાની હતી. પરંતુ જણાવવામાં આવ્યું હતું કે હવે તે પ્રેસ કોન્ફરન્સ 10 વાગ્યે અથવા તેની આસપાસ બોલાવવામાં આવશે.

ભારતીય સેનાએ જમ્મુ નજીક પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. મળી માહિતી અનુસાર આ સ્થળોએથી ટ્યુબ લોન્ચ ડ્રોનનો ઉપયોગ કરીને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય હુમલાઓમાં પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 4 એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. દરમિયાન, શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન સાથે ભારે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ પણ મળ્યા હતા. સેનાએ આ વિસ્તારમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ સક્રિય કરી છે.

Advertisment
Latest Stories