ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સાળંગપુર કષ્ટભંજનદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથણાવાળા) સાથે શ્રી મુકેશભાઈ અંબાણીની વિશેષ મુલાકાત; સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ

New Update
scss

પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથણાવાળા) સાથે શ્રી મુકેશભાઈ અંબાણીની વિશેષ મુલાકાત; સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા અને કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામની આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન  મુકેશભાઈ અંબાણીએ મુલાકાત લીધી હતી. તેઓએ કષ્ટભંજનદેવ દાદાના દિવ્ય દર્શન અને પૂજન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ વિશેષ મુલાકાત દરમિયાન  મુકેશભાઈ અંબાણીએ સાળંગપુર મંદિરના વરિષ્ઠ સંતો સાથે મુલાકાત કરી હતી. ખાસ કરીને, તેઓએ સંપ્રદાયના વિદ્વાન સંત પ.પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી સાથે આત્મીય મુલાકાત કરી હતી. પૂજ્ય સ્વામીજીએ શ્રી મુકેશભાઈનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને હનુમાનજી મહારાજનો ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા.

csscss

guj

sc

પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને શ્રી મુકેશભાઈ અંબાણી વચ્ચે આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર ટૂંકી ગોષ્ઠિ પણ યોજાઈ હતી. પૂજ્ય સ્વામીજીએ શ્રી મુકેશભાઈને અને તેમના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી મુકેશભાઈએ પણ સંતોના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.


આ પ્રસંગે મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી અને અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાદાના દરબારમાં શ્રી મુકેશભાઈ અંબાણીની ઉપસ્થિતિએ દર્શનાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જગાવ્યો હતો.

Latest Stories