જમ્મુ-કાશ્મીર : શોપિયામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત
જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કરીને બે મજૂરોની હત્યા કરી હતી
BY Connect Gujarat Desk18 Oct 2022 4:35 AM GMT
X
Connect Gujarat Desk18 Oct 2022 4:35 AM GMT
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટના અટકવાનું નામ લઇ રહી નથી. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કરીને બે મજૂરોની હત્યા કરી હતી. આ મજૂરોની ઓળખ મનીષ કુમાર અને રામ સાગર તરીકે થઈ છે. બંને ઉત્તર પ્રદેશના કન્નોજના રહેવાસી હતા.
શોપિયાના હરમન વિસ્તારમાં આતંકીઓએ બંને મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો બંનેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મીડિયા સાથે વાત કરતા એડીજીપી કાશ્મીર ઝોન વિજય કુમારે કહ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબાનો આતંકવાદી ઇમરાન બશીર ગની, હરમન હતો જેણે આ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યો હતો. શોપિયા પોલીસ દ્વારા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ અને દરોડા ચાલુ છે.
Next Story