જૂનાગઢ : મજેવડી ગામમાં એક યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને કરાઇ કરપીણ હત્યા

જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામમાં આજે મોડી રાતે એક યુવાનની બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને સ્થળ પર જ મોત નીપજાવી ભાગી છુટ્યા છે,

New Update
WhatsApp Image 2025-05-03 at 9.51.30 PM

જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામમાં આજે મોડી રાતે એક યુવાનની બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને સ્થળ પર જ મોત નીપજાવી ભાગી છુટ્યા છે, ગામમાં હત્યાની ઘટનાને પગલે ગ્રામજનો, પરિવારજનો અને પોલીસ દોડી આવી અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. 

Advertisment

જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામમાં રહેતા રિયાઝ અલ્લારખા ભટ્ટી નામના યુવાનની આજે મોડી રાતે કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. રિયાઝ આજે મોડી સાંજે બાઈક લઈને જતો હતો, તે સમયે અચાનક રસ્તા વચ્ચે બે શખ્સોએ આંતરીને તેના ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને શરીરે આડેધડ ઘા ઝીકી દીધા હતા. અને શરીરે પગમાં અને હાથમાં મોટા મોટા ચેકા કરી દીધા હતા. 

હુમલો કરીને બને શખ્સો ભાગી ગયા અને ઘટનાની જાણ થતા મૃતક રિયાઝના પરિવારજનોને કોઈએ ફોન કરીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, આ અંગે તાલુકા પોલીસ અને પરિવારના સભ્યો સ્થળ પર આવ્યા અને મૃતકનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, હાલ પરિવારનાં સભ્યો શોકમાં છે. તો બીજી તરફ પોલીસ દ્વારા તપાસ કરતા હુમલો કરનાર બે શખ્સો હોવાનું સામે આવ્યું છે. 

આ અંગે હત્યા કરીને ભાગી ગયેલા શખ્સોને પકડી પાડવા માટે પોલીસે ત્વરિત ટીમો બનાવીને દોડધામ મચાવી દીધી છે, તેમજ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હત્યા પાછળ જુનું મનદુઃખ કારણભૂત છે. અને એક યુવાન ઉપર ગામમાં રસ્તામાં આંતરીને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી નાખ્યાની ઘટનાએ સનસનાટી મચી જવા પામી છે.

Advertisment
Latest Stories