કર્ણાટકના ડે.CM શિવકુમારે કહ્યું- રામ મંદિર કોઈની માલિકીની સંપત્તિ નથી:હું દરરોજ ભગવાન રામની પૂજા કરું છું

New Update
કર્ણાટકના ડે.CM શિવકુમારે કહ્યું- રામ મંદિર કોઈની માલિકીની સંપત્તિ નથી:હું દરરોજ ભગવાન રામની પૂજા કરું છું

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે રામ મંદિરને લઈને ચાલી રહેલી રાજનીતિ પર કહ્યું કે, ભગવાન રામ કોઈ એકના નથી. છેવટે તો આપણે બધા હિન્દુ છીએ.શિવકુમારે પોતાની સરકારના નિર્ણયનો બચાવ કરતા આ વાત કહી હતી. જેમાં રાજ્ય સરકારે કર્ણાટકના તમામ મંદિરોમાં 22 જાન્યુઆરીએ વિશેષ પૂજા કરવાનો આદેશ આપ્યો છે. આ પૂજા એ જ સમયે થશે જ્યારે અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા થશે.

ડીકે શિવકુમાર સોમવારે કેરળના પ્રવાસે ગયા હતા. તેઓ રામચંદ્રન ફાઉન્ડેશન એવોર્ડ સમારોહમાં હાજર રહ્યા હતા. જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યામાં સમારોહમાં ભાગ લેવાનો નિર્ણય કેમ લીધો નથી.શિવકુમારે કહ્યું- ભાજપ શાસિત કેન્દ્રમાં કોણે કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ અને કોણે નહીં તે નક્કી કરવા માટે પિક-એન્ડ-ચુઝ પદ્ધતિ અપનાવી રહી છે. રામ મંદિર કોઈની અંગત મિલકત નથી. આ જાહેર મિલકત છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અયોધ્યામાં યોજાનાર સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. જો કે પાર્ટી તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ-સેક્યુલરના અધ્યક્ષ નીતીશ કુમાર અને સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

CPI(M) એ પહેલા જ કાર્યક્રમમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે તેને ધર્મનું રાજનીતિકરણ ગણાવ્યું છે, જ્યારે નીતિશ કુમારની હાજર રહેવા બાબતે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.