Connect Gujarat
દેશ

મધ્યપ્રદેશ : બાલાઘાટ જિલ્લાના કીરાણપુરમાં થયું પ્લેન ક્રેશ, બે પાયલોટના મોત

મધ્યપ્રદેશ : બાલાઘાટ જિલ્લાના કીરાણપુરમાં થયું પ્લેન ક્રેશ, બે પાયલોટના મોત
X

મધ્યપ્રદેશના બાલાઘાટમાં શનિવારે પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આ દુર્ઘટનામાં વિમાનના એક પાયલોટ અને એક ટ્રેઇની પાયલોટ હાજર હતા. આ દરમિયાન બાલાઘાટ જિલ્લાના મુખ્ય મથકથી લગભગ 20 કિલોમીટર દૂર કીરાણપુર વિસ્તારની પહાડીએથી ઓળખાતા આ વિસ્તાર નજીક આ ઘટના ઘટી હતી. જેને પગલે પોલીસ તાબડતોબ દુર્ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. આ દરમિયાન તપાસ હાથ ધરતા નજીકથી સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં ટ્રેઇની પાઇલોટ સહિત બંને પાયલોટના મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક પાયલોટની ડેટ બોડી સળગતી હાલતમાં નજરે પડી રહી હતી. તો ગંભીર રીતે સળગી ગયેલા મૃતદેહની ઓળખ અને વાલી વારસાની શોધખોળ પોલીસ દ્વારા હાલ ચાલી રહી છે. પ્રાથમિક વિગત અનુસાર મહારાષ્ટ્ના ગોંદીયા જિલ્લાના બિરસી હવાઈ મથકેથી ઉડાન ભરી હતી અને આ દુર્ઘટના જ્યા સામે આવી છે ત્યાં બને બાજુ પહાડી વિસ્તારા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story