મધ્યપ્રદેશ: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન

લાંબા સમયથી બીમાર હતા.પ્રભાત ઝાએ ભાજપમાં વિવિધ મહત્વના પદ પર કામ કર્યું હતું અને પત્રકારત્વથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના અંતિમ સંસ્કાર બિહારના સીતામઢી જિલ્લામાં તેમના ગામમાં કરવામાં આવશે.

Prabhat Jha Passed Away
New Update

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રભાત ઝાનું નિધન થયું છે. તેમણે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા.પ્રભાત ઝાએ ભાજપમાં વિવિધ મહત્વના પદ પર કામ કર્યું હતું અને પત્રકારત્વથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના અંતિમ સંસ્કાર બિહારના સીતામઢી જિલ્લામાં તેમના ગામમાં કરવામાં આવશે.

પ્રભાત ઝાના નિધન પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી મોહન યાદવે ટ્વીટ કર્યું, "ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્યક્ષવરિષ્ઠ નેતા આદરણીય પ્રભાત ઝાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. બાબા મહાકાલ દિવંગતની આત્મા તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ ખમવાની શક્તિ આપે. મધ્યપ્રદેશના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હંમેશા પ્રેરણા આપે છે.

#મધ્યપ્રદેશ #પ્રભાત ઝા #Madhypradesh BJP #Prabhar Jha Passed Away
Here are a few more articles:
Read the Next Article