Connect Gujarat
દેશ

બોલિવૂડની ઘણી હસ્તીઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા જવા રવાના

બોલિવૂડની ઘણી હસ્તીઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા જવા રવાના
X


આજે અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઇ રહ્યો છે. આખો દેશ રામની ભક્તિમાં ડૂબી ગયો છે અને સર્વત્ર રામનું નામ ગુંજી રહ્યું છે. આ સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે. દરેક ક્ષેત્રના દિગ્ગજો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રામનગરી અયોધ્યા પહોંચી રહ્યા છે. બોલિવૂડના તમામ મોટા સેલેબ્સ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા રવાના થઈ ગયા છે.

સોમવારે અયોધ્યામાં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે બોલિવૂડની ઘણી હસ્તીઓ મુંબઈના કલિના એરપોર્ટ પહોંચ્યા હતા. કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ અયોધ્યાની ફ્લાઈટ લીધી હતી.

અમિતાભ બચ્ચન પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બિગ બી પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા રવાના થયા છે.

રણબીર કપૂર પણ પત્ની આલિયા ભટ્ટ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રવાના થયા હતા.

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જવા રવાના થયા છે. માધુરી દીક્ષિત પણ પતિ સાથે અયોધ્યા જવા રવાના થઈ હતી.

ડ્રીમ ગર્લ 2 એક્ટર આયુષ્માન ખુરાના પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આયુષ્માન ખુરાના પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા માટે અયોધ્યા જવા રવાના થઈ ગયો છે

Next Story