Connect Gujarat
દેશ

મોદી સરકારની જાહેરાત, બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન

મોદી સરકારની જાહેરાત, બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન
X

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવશે. તેમને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવશે. સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે બુધવારે (24 જાન્યુઆરી) કર્પૂરી ઠાકુરની જન્મજયંતિ છે.

કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. મંગળવારે (22 જાન્યુઆરી) JDU નેતા કેસી ત્યાગીએ ઠાકુરને ભારત રત્ન આપવાની સાથે તેમના નામે યુનિવર્સિટી ખોલવાની માંગ કરી હતી.

કર્પૂરી ઠાકુર બિહારના હતા અને 'જનનાયક' તરીકે ઓળખાય છે. તેઓ થોડા સમય માટે બિહારના મુખ્યમંત્રી બન્યા. મુખ્ય પ્રધાન તરીકેનો તેમનો પ્રથમ કાર્યકાળ ડિસેમ્બર 1970 થી જૂન 1971 સુધી ચાલ્યો હતો અને તે પછી તેઓ ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા.

Next Story