કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી

New Update
કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા

બદ્રીનાથ-કેદારનાથ ધામમાં પહોંચ્યા મુકેશ અંબાણી

Advertisment W3.CSS

મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથની કરી પૂજા અર્ચના

મુકેશ અંબાણીએ મંદિર સમિતિને રૂ.5 કરોડનું આપ્યું દાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી. આ પ્રસંગે તેમણે મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યુ. મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પૂજા-અર્ચના કરી અને દેશની ખુશી માટે પ્રાર્થના કરી. ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કેદારનાથ ધામ પણ ગયા અને પૂજા-અર્ચના કરી. તેમણે બદ્રીનાથ અને કેદારનાથને અઢી-અઢી કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યું. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનુ સ્વાગત કર્યુ. બદ્રીનાથ પહોંચતા જ બીકેટીસીના ઉપાધ્યક્ષ કિશોર પવાર અને મંદિર સમિતિના કર્મચારીઓએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનનુ ભવ્ય સ્વાગત કર્યુ. આ દરમ્યાન ભગવાન બદ્રીના વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવામાં આવેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટ સ્વરૂપે આપવામાં આવી

Read the Next Article

અભિનેતા કમલ હાસને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, એમકે સ્ટાલિન પણ હાજર રહ્યા

એમએનએમના વડા કમલ હાસને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન પણ તેમની સાથે હાજર રહ્યા

New Update
Kamal HASAN

પ્રખ્યાત અભિનેતા અને એમએનએમના વડા કમલ હાસને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતી વખતે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન પણ તેમની સાથે હાજર હતા.

તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે તાજેતરમાં રાજ્યસભાની આઠ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ દ્વિવાર્ષિક ચૂંટણીઓ 19 જૂને યોજાશે. આમાં, બે રાજ્યો આસામ અને તમિલનાડુની આઠ બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાવાની છે. તમને જણાવી દઈએ કે આઠ સભ્યોનો કાર્યકાળ પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં, આ બધી આઠ બેઠકો માટે મતદાન થશે. તે જ સમયે, મતગણતરી પણ 19 જૂને સાંજે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આસામની બે બેઠકો અને તમિલનાડુની છ બેઠકો પર મતદાન થવાનું છે.