Connect Gujarat
દેશ

કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી

કેદારનાથ-બદ્રીનાથમાં દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, દાનમાં આપ્યા આટલા કરોડ રૂપિયા
X

બદ્રીનાથ-કેદારનાથ ધામમાં પહોંચ્યા મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ બદ્રીનાથ-કેદારનાથની કરી પૂજા અર્ચના

મુકેશ અંબાણીએ મંદિર સમિતિને રૂ.5 કરોડનું આપ્યું દાન

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી બદ્રીનાથ અને કેદારનાથ પહોંચીને વિશેષ પૂજા અર્ચના કરી. આ પ્રસંગે તેમણે મંદિર સમિતિને 5 કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યુ. મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પૂજા-અર્ચના કરી અને દેશની ખુશી માટે પ્રાર્થના કરી. ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કેદારનાથ ધામ પણ ગયા અને પૂજા-અર્ચના કરી. તેમણે બદ્રીનાથ અને કેદારનાથને અઢી-અઢી કરોડ રૂપિયાનુ દાન પણ આપ્યું. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનુ સ્વાગત કર્યુ. બદ્રીનાથ પહોંચતા જ બીકેટીસીના ઉપાધ્યક્ષ કિશોર પવાર અને મંદિર સમિતિના કર્મચારીઓએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનનુ ભવ્ય સ્વાગત કર્યુ. આ દરમ્યાન ભગવાન બદ્રીના વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવામાં આવેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટ સ્વરૂપે આપવામાં આવી

Next Story