/connect-gujarat/media/media_files/2025/05/20/DmOguyVVL94FEmESdcG9.jpg)
મુંબઈની નજીક આવેલા કલ્યાણમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ઇમારતનો સ્લેબ પડવાથી 6 લોકોના મોત થયા છે.
જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડવાને કારણે આ અકસ્માત થયો હતો. હજુ પણ એક વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલી હોવાની આશંકા છે અને તેને બચાવવાના પ્રયાસો ચાલુ છે. લોકમતમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કેડીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇમારતને 'ખતરનાક' જાહેર કરવામાં આવી હતી અને ચોમાસા પહેલા તેને ખાલી કરાવવાની હતી. KDMC સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસા પહેલા જગ્યા ખાલી કરવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ અકસ્માત સમયે લોકો હજુ પણ ઇમારતમાં હાજર હતા.