/connect-gujarat/media/media_files/2025/02/27/EMCzi5PcG3jX7JuFGRMK.jpg)
બુધવારે બિહારમાં નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ભાજપના ક્વોટાના 7 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. સૌ પ્રથમ, દરભંગાના ભાજપના ધારાસભ્ય સંજય સરાવગીએ શપથ લીધા. તેમણે મૈથિલીમાં શપથ વાંચ્યા.આ પછી બિહારશરીફના ભાજપના ધારાસભ્ય સુનીલ કુમારે શપથ લીધા. દરભંગાની જાલે વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય જીવેશ મિશ્રા પણ મંત્રી બન્યા.મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજ વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય રાજુ સિંહે પણ મંત્રી તરીકે શપથ લીધા.
સીતામઢી જિલ્લાના રીગા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય મોતીલાલ પ્રસાદે શપથ લીધા. અમનૌર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કૃષ્ણ કુમાર ઉર્ફે મન્ટુએ મંત્રી તરીકે શપથ લીધા. સીકાટી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિજય મંડલે શપથ લીધા.રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે. NDAને સૌથી વધુ બેઠકો આપનારા મિથિલાના ચાર ધારાસભ્યો મંત્રી બનશે.