Connect Gujarat
દેશ

પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ ભારત સાથે વેપાર કરવા માંગે છે ! PM શાહબાઝ શરીફને કરી રજુઆત

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે.

પાકિસ્તાનના ઉદ્યોગપતિઓ ભારત સાથે વેપાર કરવા માંગે છે ! PM શાહબાઝ શરીફને કરી રજુઆત
X

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ઉદ્યોગપતિઓએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની માગ કરી છે. બુધવારે (24 એપ્રિલ) વડાપ્રધાન શાહબાઝ શરીફે સિંધમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી. મિટિંગ દરમિયાન પાકિસ્તાનના મોટા બિઝનેસ સમૂહ આરિફ હબીબ ગ્રુપના વડા આરિફ હબીબે ભારત સાથે સંબંધો સુધારવાની માગ કરી.

તેમણે કહ્યું, સત્તામાં આવ્યા પછી તમે કેટલાક લોકો સાથે હાથ મિલાવ્યા, જેનો ફાયદો પાકિસ્તાનને થયો. હવે અમે કેટલાક વધુ લોકો સાથે હાથ મિલાવવા માગીએ છીએ. પહેલા ભારત સાથે હાથ મિલાવો જેથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફાયદો થાય. પછી અદિયાલા જેલમાં બંધ ઈમરાન સાથે હાથ મિલાવ્યા. જેથી દેશમાં રાજકીય સ્થિરતા આવે. રાજકીય સ્થિરતા સાથે, વ્યવસાયો પાકિસ્તાનમાં સારી રીતે કામ કરી શકશે.સિંધમાં વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ પછી બેઠકમાં પ્રશ્નો અને જવાબોનો સિલસિલો શરૂ થયો. ઘણા પાકિસ્તાની ઉદ્યોગપતિઓએ પાકિસ્તાનની આર્થિક નીતિઓ પર શેહબાઝ શરીફ પર સવાલ ઉઠાવ્યા. કેટલાક ઉદ્યોગપતિઓએ વડાપ્રધાન શરીફના વખાણ પણ કર્યા હતા. ઉદ્યોગપતિઓએ સરકારને આર્થિક નીતિઓ માટે પ્રસ્તાવ પણ આપ્યો છે.

Next Story