આજથી મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓનું થશે ટેસ્ટિંગ, કોરોના કેસ વધવાને લઈને લેવાયો નિર્ણય

આજથી મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓનું થશે ટેસ્ટિંગ, કોરોના કેસ વધવાને લઈને લેવાયો નિર્ણય
New Update

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશોમાં વધતા કોરોનાવાયરસના કેસોને પગલે અન્ય દેશોથી આવતા પ્રવાસીનું કોવિડ-19 માટે પરીક્ષણ થશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવીનતમ માર્ગદર્શિકાના આધારે, મુંબઈ એરપોર્ટે વાયરસના ફેલાવાને રોકવા માટે એકસાથે પગલાં લીધાં છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ચીન અને અન્ય દેશોમાંથી આવતા મુસાફોરનું એરપોર્ટ કોવિડ-19 માટે પરીક્ષણ શરૂ કરશે.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસને લઈને ચિંતા ઘણી વધી ગઈ છે, જેને જોતા સરકાર કોઈ ઢીલ રાખવા માંગતી નથી. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) એ શુક્રવારે જણાવ્યું હતું કે, શનિવારથી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારા બે ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોને કોવિડ-19 સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે.

#India #ConnectGujarat #passengers #corona cases #Mumbai Airport #regarding increase
Here are a few more articles:
Read the Next Article