PM મોદી આજે રામેશ્વરમની મુલાકાતે,અરબી સમુદ્ર પર બનેલા નવા પંબન પુલનું ઉદ્ઘાટન કરશે !

નવી શિક્ષણ નીતિ (NEP) અને ત્રિભાષી નીતિ વિવાદ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલે રામ નવમીના રોજ તમિલનાડુના રામેશ્વરમની મુલાકાત લેશે.

New Update
rameshwar

નવી શિક્ષણ નીતિ (NEP) અને ત્રિભાષી નીતિ વિવાદ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલે રામ નવમીના રોજ તમિલનાડુના રામેશ્વરમની મુલાકાત લેશે.

Advertisment

અહીં તેઓ અરબી સમુદ્ર પર બનેલા નવા પંબન પુલનું ઉદ્ઘાટન કરશે. તે એશિયાનો પહેલો વર્ટિકલ લિફ્ટ સ્પાન રેલવે બ્રિજ છે.2.08 કિમી લાંબો આ પુલ ભારતના તમિલનાડુના મુખ્ય ભૂમિમાં રામેશ્વરમ (પંબન ટાપુ)ને મંડપમ સાથે જોડે છે.

નવેમ્બર, 2019માં વડા પ્રધાન મોદીએ પોતે તેનો શિલાન્યાસ કર્યો હતો. ભવિષ્યને ધ્યાનમાં રાખીને, તેને ડબલ ટ્રેક અને હાઇ-સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.સ્ટેનલેસ સ્ટીલથી બનેલા આ નવા પુલ પર પોલિસિલોક્સેનનું કોટેડ કરવામાં આવ્યું છે, જે તેને કાટ અને દરિયાઈ ખારા પાણીથી બચાવશે. જૂનો પુલ 2022માં કાટ લાગવાને કારણે બંધ કરવામાં આવ્યો હતો. આ પછી, રામેશ્વરમ અને મંડપમ વચ્ચેનો રેલ સંપર્ક તૂટી ગયો.ઉદ્ઘાટન પછી, પીએમ મોદી રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. રામાયણ અનુસાર, રામસેતુનું નિર્માણ રામેશ્વરમ નજીક ધનુષકોડીથી શરૂ થયું હતું. આ કારણોસર તે શ્રદ્ધાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે પીએમ મોદી રામ નવમી પર તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.

Advertisment
Latest Stories