વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

New Update
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'બહાદુર શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. મા ભારતીના આ નિર્ભય પુત્રે ભારતને આઝાદ કરવા અને આપણા લોકોમાં ગૌરવની ભાવનાને આગળ વધારવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.'

આ સાથે પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર યુટ્યુબ લિંક પણ શેર કરી છે. આ લિંક પર પીએમ મોદી શ્યામજીના જીવન સાથે જોડાયેલા મુદ્દા પર બોલી રહ્યા છે.

શ્યામજી કૃષ્ણ વર્માએ ભારતીય રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે લંડનમાં ઈન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ અને ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટની સ્થાપના કરી હતી. તેમનો જન્મ 4 ઓક્ટોબર, 1857ના રોજ માંડવી, ગુજરાત ખાતે થયો હતો. શ્યામજીનું અવસાન 30 માર્ચ 1930ના રોજ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું.

આંતરરાષ્ટ્રીય કાયદાઓને કારણે તેમનો મૃતદેહ ભારત લાવી શકાયો ન હતો અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અગ્નિસંસ્કાર પછી, તેમની રાખને જીનીવાના સેન્ટ જ્યોર્જ કબ્રસ્તાનમાં રાખવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી 2003માં જીનીવા ગયા હતા અને વર્માની અસ્થિઓ ભારત લાવ્યા હતા.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.