વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત આવશે ગુજરાતના પ્રવાસે,નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે.

New Update
pm mmodi 11

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 3 માર્ચ દરમિયાન સાસણમાં યોજનારી નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. અહીં તેઓ 3 હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોચિંગ કરશે.

ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઈટ સિંહ વસવાટ કેંદ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ખુલ્લી મુકાશે. ત્યારબાદ તેઓ સાત માર્ચના રોજ  સાંજના સમયે સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજા દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમના પ્રવાસને લઈ સ્થાનિક પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી છે.

વડાપ્રધાન મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર અને સોમનાથની મુલાકાત કરશે. તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યાં રાત્રીરોકાણ કરશે. 3 માર્ચે વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

દરમિયાન વડાપ્રધાન મોદી મહત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7-8 માર્ચ, 2025ના રોજ બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે. જેમાં તેમણે 7 માર્ચે સુરતના લીંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહીને લાભાર્થીઓને કિટનું વિતરણ કરશે અને સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. 8 માર્ચના રોજ મહિલા દિવસે નવસારીમાં યોજાવનારા કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે.

Read the Next Article

ભારતીય વાયુસેનાના Boeing AH-64 Apache હેલિકોપ્ટરનું થયું ઇમરજન્સી લેન્ડિંગ

ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુરમાં કટોકટી લેન્ડિંગ કર્યું. બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને હેલિકોપ્ટરને કોઈ નુકસાન નથી. મહત્વનું છે કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

New Update
6+

ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુરમાં કટોકટી લેન્ડિંગ કર્યું. બધા ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને હેલિકોપ્ટરને કોઈ નુકસાન નથી. મહત્વનું છે કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

ભારતીય વાયુસેનાના (IAF) એક અપાચે હેલિકોપ્ટરે નાંગલપુર વિસ્તારમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટર ને કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચી નથી અને તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

ગત અઠવાડિયે પણ એવું જ એક ઘટના ઉત્તર પ્રદેશના સહારનપુર નજીક બની હતી, જ્યાં ટેકનિકલ ખામીના ઈશારા મળતા એક અપાચે હેલિકોપ્ટર ને ખેતી વાળા ખેતરમાં ઉતારવું પડ્યું હતું. ઘટના બાદ જમીન પર વિશાળ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ હેલિકોપ્ટર સુરક્ષિત રીતે સહારનપુરથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલા સરસાવા એરસ્ટેશન પર પાછું લઈ જવાયું હતું.

ગયા વર્ષ 4 એપ્રિલે લદ્દાખના ખાર્દુંગલા નજીક એક અન્ય અપાચે હેલિકોપ્ટર ઓપરેશનલ મિશન દરમિયાન હાર્ડ લેન્ડિંગ બાદ ગંભીર રીતે નુકસાન પામ્યું હતું.

અપાચે હેલિકોપ્ટર, જેને ઔપચારિક રીતે Boeing AH-64 Apache તરીકે ઓળખવામાં આવે છે, વિશ્વના સૌથી આધુનિક અને ખતરનાક એટેક હેલિકોપ્ટર્સ વડે થાય છે. 1970ના દાયકામાં હ્યુઝ હેલિકોપ્ટર્સ દ્વારા વિકાસ પામેલું અને ત્યારબાદ મેકડોનલ ડગ્લસ તથા બોઇંગ દ્વારા ઉત્પાદિત અપાચે, તેની ઘાતક ફાયરપાવર, ચપળતા અને યુદ્ધમેદાનમાં ટકાવૂ શક્યતા માટે જાણીતું છે.

આ હેલિકોપ્ટરમાં ટાર્ગેટ એક્વિઝિશન અને નાઈટ વિઝન માટે નાકે માઉન્ટેડ સેન્સર સુઈટ હોય છે, જે દિવસ કે રાત્રિમાં તેમજ ખરાબ હવામાનમાં પણ કાર્યક્ષમ બની રહે છે. તેની મુખ્ય હથિયાર સિસ્ટમોમાં 30 મિ.મી. M230 ચેઈન ગન, હેલફાયર એન્ટી-ટેંક મિસાઈલ્સ અને હાઈડ્રા 70 રોકેટ પોડ્સનો સમાવેશ થાય છે. આ હેલિકોપ્ટર જમીન પરના વાહનો, કિલ્લાબંધી અને દુશ્મનના સૈનિકો સામે અત્યંત અસરકારક રીતે હુમલો કરી શકે છે.