રાહુલ ગાંધીએ રાયબરેલીમાં હનુમાન મંદિરમાં કરી પૂજા, શહીદના પરિવાર સાથે પણ કરી મુલાકાત

દેશ | સમાચાર, રાહુલ ગાંધીએ રાયબરેલીમાં કીર્તિ ચક્ર સન્માનિત કેપ્ટન અંશુમન સિંહના માતા-પિતા સાથે મુલાકાત કરી. મઊ ગેસ્ટ હાઉસમાં તેમની સાથે ચા પીધી.

 હનુમાન મંદિર
New Update

રાહુલ ગાંધીએ રાયબરેલીમાં કીર્તિ ચક્ર સન્માનિત કેપ્ટન અંશુમન સિંહના માતા-પિતા સાથે મુલાકાત કરી. મઊ ગેસ્ટ હાઉસમાં તેમની સાથે ચા પીધી. લગભગ 40 મિનિટ સુધી શહીદના પરિવાર સાથે વાત કરી.શહીદ કેપ્ટનની માતા મંજૂએ જણાવ્યું- અમને દીકરા પર ગર્વ છે.

તેમણે જ અમને અહીં સુધી પહોંચાડ્યા, જેને અમે ટીવી પર જોતા હતા. તેમની સાથે આજે અમે ચા પીધી. અમારું આટલું સન્માન કર્યું. રાહુલજીએ મદદનો વિશ્વાસ કર્યો. તેમની સાથે લાંબી વાત કરી. તેમણે અનેક વાયદા કર્યા. આશા છે કે તે પૂરા પણ થશે. 3 દિવસ પહેલાં શહીદની પત્ની સ્મૃતિએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પાસેથી કીર્તિ ચક્ર સન્માન મેળવ્યું હતું.

Here are a few more articles:
Read the Next Article