દેશભરમાં રામ નવમીની થશે ઉજવણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રામ નવમીની શુભકામનાઓ પાઠવી

આજે દેશભરમાં રામ નવમી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. રામ નવમીના અવસર પર અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.

New Update
રામ navmi

આજે દેશભરમાં રામ નવમી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. રામ નવમીના અવસર પર અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે.

Advertisment

 શ્રી રામ જન્મભૂમિ દર્શન માર્ગને ફૂલોથી શણગારવામાં આવ્યો છે. પવિત્ર સ્નાન માટે ભક્તો સરયુ નદીના કિનારે પહોંચી રહ્યા છે. આ સાથે ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે એટલે કે રામ નવમીના શુભ અવસર પર ભક્તો હનુમાનગઢી મંદિરમાં પૂજા માટે ઉમટી રહ્યા છે. આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રામ નવમીની શુભકામનાઓ પાઠવી. 

તેમણે 'X' પર લખ્યું, 'રામ નવમીની તમામ દેશવાસીઓને શુભકામનાઓ.' ભગવાન શ્રી રામની જન્મજયંતિનો આ પવિત્ર અવસર તમારા બધાના જીવનમાં નવી ચેતના અને નવો ઉત્સાહ લાવે, જે મજબૂત, સમૃદ્ધ અને સક્ષમ ભારતના સંકલ્પને સતત નવી ઉર્જા પ્રદાન કરશે. જય શ્રી રામ! 

રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભકામના

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, રામ નવમીના પવિત્ર પર્વ પર તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. આ તહેવાર ધર્મ, ન્યાય અને કર્તવ્યનો સંદેશ આપે છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે માનવજાત માટે બલિદાન, પ્રતિબદ્ધતા, સંવાદિતા અને બહાદુરીના સર્વોચ્ચ આદર્શો રજૂ કર્યા છે. સુશાસન એટલે કે રામરાજ્યની તેમની વિભાવનાને આદર્શ માનવામાં આવે છે. મારી શુભેચ્છાઓ છે કે, આ શુભ પ્રસંગે બધા દેશવાસીઓ વિકસિત ભારતના નિર્માણ માટે એક થઈને કામ કરવાની પ્રતિજ્ઞા લે.

Advertisment
Latest Stories