/connect-gujarat/media/media_files/2025/06/06/bR8cBpxzpRA7ktk89Ebg.jpg)
આજે RBI ગવર્નરે એક મોટી જાહેરાત કરી. RBI છેલ્લા ઘણા સમયથી સતત રેપોરેટમાં ઘટાડો કરતો રહ્યું છે.
RBI લોન સર્કલને ફરીથી સક્રિય કરવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવા માંગે છે. આજ રેપોરેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે.
4 જૂનના રોજ શરૂ થયેલી RBI ની એક અગત્યની MPC મિટિંગનું પરિણામ આવી ગયું છે. અને ફરી એકવાર RBI એ કેન્દ્રિય બેન્કોને મોટી રાહત આપી છે. અને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાને પગલે હવે હોમ લોન થી લઈને કાર લોન સુધી તમામ EMI માં સામાન્ય જનતાને રાહત મળશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની MPC મીટિંગના પરિણામો આવી ગયા છે અને કેન્દ્રીય બેંકે ફરી એકવાર મોટી રાહત આપી છે. હકીકતમાં RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ તાજેતરના ઘટાડા પછી રેપો રેટ હવે 6 ટકાથી ઘટીને 5.50% થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે પાછલી બે MPC મીટિંગમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બેંક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે કારણ કે હવે તેમની EMI વધુ ઓછી થશે.
રેપો રેટ બેંક લોન લેતા ગ્રાહકો સાથે સીધો જોડાયેલો હોય છે. જ્યારે તે ઘટે છે. ત્યારે લોન EMI ઘટે છે અને જ્યારે તે વધે છે, ત્યારે તે વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે જેના પર દેશની મધ્યસ્થ બેંક નાણાંની અછતના કિસ્સામાં વાણિજ્યિક બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ નાણાકીય સત્તાવાળાઓ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.