New Update
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી મંજૂર કરી છે.
અરવિંદ કેજરીવાલને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી નિયમિત જામીન મળી ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રીની દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જામીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરવિંદ કેજરીવાલ શુક્રવારે જેલમાંથી બહાર આવી શકે છે. સીએમ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
Latest Stories