રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં લેશે ભાગ

New Update
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં લેશે ભાગ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ બુધવારે ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં વાર્ષિક સમિટમાં નક્કી કરાયેલા પરિણામો અને ક્રિયાના મુદ્દાઓને આગળ વધારશે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની પણ ચર્ચા થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા G-20 નેતાઓની ડિજિટલ સમિટનું આયોજનના એક દિવસ અગાઉ ભારતે મંગળવારે જણાવ્યું હતું કે આ બેઠક દિલ્હી ઘોષણાના (Delhi Declaration) અમલીકરણ પર ચર્ચા કરવા, મુખ્ય પડકારો પર સહકાર વધારવા અને વૈશ્વિક શાસનમાં ખામીઓને દૂર કરવાની તક આપશે.

Read the Next Article

ચોમાસાએ સમગ્ર ભારતમાં આપી દસ્તક, આગામી 7 દિવસ ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આગાહી

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર

New Update
rain

દિલ્હી એનસીઆરના લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. હવે તે રાહનો અંત આવ્યો છે, કારણ કે ચોમાસાના આગમનની માહિતી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે 29 જૂને દિલ્હી એનસીઆર સહિત દેશભરમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું રવિવાર (29 જૂન, 2025) સુધીમાં સમગ્ર દેશને આવરી લેશે.  જ્યારે સામાન્ય તારીખ 8 જુલાઈ છે. આ સામાન્ય કરતાં 9 દિવસ વહેલું થયું છે. આ સાથે, આગામી 7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ અપેક્ષા છે અને હવામાન વિભાગે ઝારખંડ (29 અને 30 જૂન) અને ઓડિશા (29 જૂન) માં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસાએ સમગ્ર ભારતમાં દસ્તક આપી દીધી છે. આ અંગે ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. નરેશ કુમારે જણાવ્યું હતું કે આ સમયે આખું ભારત વાદળોથી ભરેલું છે. ખાસ કરીને ઉત્તરપશ્ચિમ ક્ષેત્ર. તેનું કારણ એ છે કે એક નીચા દબાણવાળા ક્ષેત્રનું નિર્માણ થયું છે, ત્યાં ગાઢ વાદળો છે. નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે ચોમાસાની સ્થિતિ અનુકૂળ છે અને હવે આખું ભારત છવાઈ ગયું છે. ચોમાસું 29 જૂને રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને સમગ્ર દિલ્હીમાં પહોંચી ગયું છે, જેના કારણે તે સમગ્ર ભારતમાં ફેલાઈ ગયું છે.