/connect-gujarat/media/post_banners/c79fe0a39a67d429a978388b4bb214568dc1b801f3a994c4d774ef42231d560f.webp)
શાહિદ કપૂરની આગામી ફિલ્મ 'અશ્વત્થામા'ની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મની ઓફિશિયલ જાહેરાત જેકી ભગનાની અને શાહિદ કપૂરે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાં આ ફિલ્મ શાહિદ કપૂરની જગ્યાએ વિકી કૌશલ કરવાનો હતો. વિકીએ પણ આ ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
પરંતુ પછી વિકી ફિલ્મમાંથી બહાર થઇ ગયો હતો.ફિલ્મ 'અશ્વત્થામા'ના લેખક અને નિર્દેશક સચિન રવિ હશે. વાશુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ આ ફિલ્મના નિર્માતા છે. નિર્માતાઓ 'અશ્વત્થામા'ને એવી સ્ટાઈલમાં બનાવવાનું વિચારી રહ્યા છે જે પહેલાં ક્યારેય ન જોઈ હોય. આ એક અખિલ ભારતીય ફિલ્મ હશે, જે હિન્દીની સાથે તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.