આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી

સોમવારે રાત્રે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ન્યૂઝ એજન્સીએ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) ને ટાંકીને જણાવ્યું છે કે,

New Update
Pakistan Earthquake

સોમવારે રાત્રે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

ન્યૂઝ એજન્સીએ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) ને ટાંકીને જણાવ્યું છે કે, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. GFZ મુજબ ભૂકંપ સમુદ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી. 

નોંધનીય છે કે, આંદામાન સમુદ્ર અને તેની આસપાસના ટાપુ વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, જ્યાં વારંવાર ભૂકંપ આવે છે અને સુનામીનો ભય પણ રહે છે. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે લગભગ બે અઠવાડિયા પહેલા દિલ્હી-એનસીઆરમાં સતત બે દિવસ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ભૂકંપીય પ્રવૃત્તિઓએ નિષ્ણાતો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને સતર્ક કરી દીધા છે.

Latest Stories