/connect-gujarat/media/media_files/2025/02/26/r8nzjMHeFjQda62G3zva.jpg)
સુદાનનું લશ્કરી વિમાન ઓમદુરમન શહેરમાં ક્રેશ થયું. આ દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. આ માહિતી લશ્કરી અને આરોગ્ય અધિકારીઓએ બુધવારે (26 ફેબ્રુઆરી) આપી હતી. એપીના અહેવાલ મુજબ, સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે. આ ઉપરાંત અકસ્માત પાછળનું મુખ્ય કારણ શું હતું તે પણ જણાવવામાં આવ્યું ન હતું. સુદાનિસ આર્મીના રિપોર્ટ અનુસાર, સેનાનું એન્ટોનોવ વિમાન મંગળવારે (24 ફેબ્રુઆરી) ઓમદુરમનની ઉત્તરે વાડી સૈયદના એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું.
સુદાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 19 હતો, અને તેમના મૃતદેહોને ઓમદુરમનની નાઉ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે.