/connect-gujarat/media/post_banners/72ba56855ff3a28c8be6694ecc96c5a975c88c34dce1058844819f392435ad5f.webp)
ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. અંતે, ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ છેલ્લા તબક્કામાં છે. મંગળવારે ટનલમાં બ્રેક થ્રુ થયું હતું અને એસ્કેપ ટનલ દ્વારા કામદારોને બહાર કાઢવા માટે એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે.
ચારધામ ઓલ વેધર પ્રોજેક્ટ (ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશન)ની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોના જીવ બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન આજે સફળ રહ્યું હતું. ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. અંતે, ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ છેલ્લા તબક્કામાં છે. મંગળવારે ટનલમાં બ્રેક થ્રુ થયું હતું, અને કામદારોને એસ્કેપ ટનલ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. NHAI સભ્ય વિશાલ ચૌહાણે જણાવ્યું હતું કે, "NHAI એ તમામ ટનલનું ઓડિટ કામ ફરી શરૂ કરી દીધું છે,
અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને અન્ય એજન્સી સાથે તેના પર કામ કરી રહ્યા છીએ." સિલ્કિયારા ટનલમાંથી કામદારોને બહાર કાઢ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. કામદારોને એરલિફ્ટ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. ચિનૂક હેલિકોપ્ટર ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર હાજર છે. તમને જણાવી દઈએ કે, ઋષિકેશ એઈમ્સમાં પણ ઈમરજન્સીની તૈયારીઓ કરવામાં આવી છે.