પશ્ચિમ બંગાળમાં વકફ કાયદા વિરુદ્ધ હિંસક પ્રદર્શન, 3 લોકોના મોત-15 પોલીસકર્મી ઘાયલ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા. અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે.

New Update
hinsha

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, ઉત્તર 24 પરગણા, હુગલી અને માલદા જિલ્લામાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા.

Advertisment


અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે. લગભગ 15 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને દુકાનો અને ઘરોમાં તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. વક્ફ કાયદાના વિરોધમાં રાજ્યમાં 10 એપ્રિલથી હિંસા ચાલુ છે.
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં 1600 કેન્દ્રીય દળના જવાનોને તૈનાત કર્યા છે. કુલ 16 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત, લગભગ 300 BSF સૈનિકો તૈનાત છે. આ ઉપરાંત, 5 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે. કલમ 144 પણ અમલમાં છે. લગભગ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે.મૃત્યુ પામેલા લોકોમાં ધુલિયાણના પિતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. હિંસક ટોળાએ હરગોવિંદ દાસ (પિતા) અને ચંદન દાસ (પુત્ર)ને માર મારીને મારી નાખ્યા. તે બંને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા. શુક્રવારે ત્રીજા યુવકને ગોળી વાગવાથી ઇજા થઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

Advertisment
Latest Stories