ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો, વિરાટ અને રાહુલને અપાયો આરામ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો આજે સાંજે 7:00 વાગ્યાથી ઇન્દોરમાં રમવામાં આવશે

New Update
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો, વિરાટ અને રાહુલને અપાયો આરામ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝનો ત્રીજો અને છેલ્લો મુકાબલો આજે સાંજે 7:00 વાગ્યાથી ઇન્દોરમાં રમવામાં આવશે. ત્રણ મેચોની ટી20માં ભારત પહેલા જ 2-0થી આગળ છે. આવામાં ટીમ ઈન્ડિયા ત્રીજી ટી20 મેચમા પણ સાઉથ આફ્રિકાને માત આપીને 3-0થી સીરિઝ જીતવા માંગશે. સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ જીત્યા બાદ આખરે ભારતીય ટીમ મેનેજમેન્ટે છેલ્લી ટી20 મેચ માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

આવામાં ટીમ ઈન્ડિયામાં બે ખતરનાક ખેલાડીઓની એન્ટ્રી થવા જઈ રહી છે. સાઉથ આફ્રિકા સામે ટી20 મેચમા કેપ્ટન રોહિત શર્મા સામે ઓપનિંગ માટે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઉતરી શકે છે. રાહુલને આરામ આપ્યા બાદ રિષભ પંતને ઓપનિંગનો અવસર મળી શકે છે. ટીમ ઈન્ડિયામાં અન્ય કોઈ રિઝર્વ બેટ્સમેન નથી, આવામાં શાહબાદ અહમદ અથવા બે બોલર્સ મોહમ્મદ સિરાજ કે ઉમેશ યાદવને પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે. સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચમા વિરાટ કોહલીની જગ્યાએ પ્લેઇંગ 11મા વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યરને એન્ટ્રી મળી શકે છે. શ્રેયસ નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. શ્રેયસ અય્યરે પોતાની છેલ્લી ટી20 ઇન્ટરનેશનલ મેચ 7 ઓગસ્ટ 2022નાં રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. આ મેચમાં શ્રેયસ અય્યરે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવીને 40 બોલ પર 64 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાના દમ પર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને ઘણી મેચમાં જીત અપાવી છે. શ્રેયસ અય્યરની બેટિંગનો કોઈ મુકાબલો નથી. આ જ કારણ છે કે બેટિંગમા શ્રેયસ અય્યરનું યોગદાન ભારતીય ટીમ માટે અત્યંત જરૂરી છે.