કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 249 પર પહોંચી ગયો છે. 130 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 240 લોકો ગુમ છે.મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.
આર્મી, એરફોર્સ, NDRF, SDRF, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મોડી રાત સુધી 1 હજાર લોકોને બચાવી લેવાયા, 3 હજાર લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં કહ્યું હતું કે, કેરળ સરકારને 23-24 જુલાઈએ જ એલર્ટ કરી હતી, જો સરકારે લોકોને સમયસર હટાવ્યા હોત તો આટલું નુકસાન ન થયું હોત.