પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી એરપોર્ટના નવા અને ભવ્ય ટર્મિનલ બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન

આસામના ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી એરપોર્ટના નવા અને ભવ્ય

New Update
scs

આસામના ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી એરપોર્ટના નવા અને ભવ્ય ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેને ઉત્તરપૂર્વ ભારતના વિકાસ, જોડાણ અને વૈશ્વિક ઓળખ માટે એક મોટા પગથિયા તરીકે જોવામાં આવી રહ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ એરપોર્ટને દક્ષિણપૂર્વ એશિયાના પ્રવેશદ્વાર તરીકે વિકસાવવાનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ સરકાર અને સંચાલક સંસ્થા બંનેએ રજૂ કર્યો છે. 

caa



નવું ટર્મિનલ તેના આર્કિટેક્ચરલ ડિઝાઇનને કારણે પહેલેથી જ ચર્ચામાં આવી ગયું છે. આસામની સમૃદ્ધ જૈવી વૈવિધ્યતા અને પ્રાકૃતિક વારસાથી પ્રેરિત આ ટર્મિનલમાં વાંસના વિશાળ કમાનો, હરિયાળી થીમ અને આધુનિક ટેક્નોલોજીનો અદભૂત સમન્વય જોવા મળે છે. સ્થાનિક સંસ્કૃતિને આધુનિકતા સાથે જોડતું આ ડિઝાઇન ગુવાહાટી એરપોર્ટને દેશના સૌથી આકર્ષક હવાઈ અડ્ડાઓમાં સ્થાન અપાવે છે.લગભગ 5,000 કરોડ રૂપિયાની કુલ કિંમત સાથે વિકસાવવામાં આવેલો આ પ્રોજેક્ટ માત્ર મુસાફરો માટેની સુવિધાઓ પૂરતો મર્યાદિત નથી. નવા ટર્મિનલની વાર્ષિક ક્ષમતા 13.1 મિલિયન પેસેન્જર્સ (MPPA) છે, જે અગાઉની તુલનામાં અનેકગણી વધારે છે. આ સાથે રનવે અને એર-સાઈડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે, જેથી મોટા વિમાન અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સરળતાથી સંચાલિત થઈ શકે.

Latest Stories