જામનગર : વેપાર-ઉદ્યોગમાં આજથી 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, પ્રથમ દિવસે જ જોવા મળી બંધની અસર

New Update
જામનગર : વેપાર-ઉદ્યોગમાં આજથી 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન, પ્રથમ દિવસે જ જોવા મળી બંધની અસર

જામનગર શહેરમાં આજથી વેપાર-ઉદ્યોગમાં 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજથી શરૂ થતાં સ્વૈચ્છીક લોકડાઉનને તમામ વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ રાખી પોતાનું સમર્થન આપ્યું છે.

કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જામનગર શહેરમાં આજથી 3 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે આજે પ્રથમ દિવસે જામનગરના બજારોમાં બંધની અસર જોવા મળી રહી છે. શહેરનું અતી ધમધમતું વેપારી વિસ્તાર એવું ગ્રેઇન માર્કેટ પણ બંધ જોવા મળ્યું છે. તમામ વેપારીઓએ સ્વૈચ્છીક બંધ પાડીને લોકડાઉનને સમર્થન આપ્યું છે, ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા શહેરના વેપારીઓની જાગૃતતા જોવા મળી છે.