/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/09162400/vOAfZAlk.jpg)
જામનગર કોરોના મહામારી દિવસે ને દિવસે વધે છે ત્યારે જામનગરની અનેક ધાર્મિક અને સામાજિક સેવાકીય સંસ્થાઓ કોરોના દર્દીઓની સેવા માટે આગળ આવી રહી છે. જામનગર બીએપીએસ સંસ્થા દ્વારા આજે કોરોના દર્દીઓ માટે 14 હજાર લિટર ઓકસીજનનો જથ્થો કોવિડ હોસ્પિટલને આપવામાં આવ્યો.
કોરોના મહામારી વચ્ચે લોકોને સહાયરૂપ થવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે. સંક્રમણના બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. અનેક દર્દીઓને ઓક્સિજનની તકલીફો સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આવા કપરા સમયમાં જામનગરની બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક સરાહનીય સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ કોવીડ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જામનગર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્રારા આજે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલમાં લીક્વીડ ઓક્સીજનનું ટેન્કર આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સાધુ સંતો ઉપરાંત સાંસદ પુનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી આરસીફળદુ, મહામંત્રી મેરામણભાઈ ભાટું, મેયર બીનાબેન કોઠારી, જીજી હોસ્પિટલના સુપ્રીડેન્ટ દીપક તિવારી, એમપી શાહ મેડીકલ કોલેજના દિન નંદીની દેસાઈ સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. BAPS દ્રારા કોવીડ હોસ્પિટલમાં ટેન્કર મારફતે 14000 લીટર ઓક્સીજનનો જથ્થો આપવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સ્વામી નારાયણ સંસ્થા દ્રારા 400 ટન ઓક્સીજન પૂરું પાડવામાં આવ્યું છે. યુએઈ ખાતે આવેલ બીએપીએસની સંસ્થા દ્રારા ભારતમાં ઓક્સીજન મોકલવામાં આવ્યું છે અને જામનગરને પણ ઓક્સીજનનો આ જથ્થો મળી રહેતા જીજી કોવીડ હોસ્પિટલને ઘણી મદદ મળી રહેશે.